અધ્યાય 2

સાંખ્યયોગ

અથ દ્વિતીયોઅધ્યાયઃ

72 વિભાગો
સાંખ્યયોગ

શ્લોક 1

સઞ્જય ઉવાચ |

તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ |

વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ ||૨-૧||

સંજય ઉવાચ

અનુવાદ

સંજયે કહ્યું: કરુણાથી વિહ્વળ થયેલા, શોકયુક્ત મનવાળા, અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને, શ્રી કૃષ્ણ નીચે મુજબના વચનો બોલ્યા.

સાંખ્યયોગ

શ્લોક 2

શ્રીભગવાનુવાચ |

કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ |

અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમકીર્તિકરમર્જુન ||૨-૨||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું: મારા પ્રિય અર્જુન, આ સંકટના સમયે આવી ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ? સમ્માનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી. તે ઉચ્ચ લોક તરફ નહિ પરંતુ અપયશ તરફ દોરી જાય છે.

સાંખ્યયોગ

શ્લોક 3

ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે |

ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ||૨-૩||

અનુવાદ

હે પાર્થ, આ નપુંસકતા તને શોભા દેતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા.

સાંખ્યયોગ

શ્લોક 4

અર્જુન ઉવાચ |

કથં ભીષ્મમહં સઙ્ખ્યે દ્રોણં ચ મધુસૂદન |

ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ||૨-૪||

અર્જુન ઉવાચ

અનુવાદ

અર્જુને કહ્યું: હે મધુસૂદન! હે અરિહન્તા! હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ?

સાંખ્યયોગ

શ્લોક 5

ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્

શ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપીહ લોકે |

હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ

ભુઞ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ||૨-૫||

અનુવાદ

આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે, તેઓને હણીને જીવન માણવા કરતાં ભિક્ષા માંગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયસ્કર છે. જો અમે તેમનો સંહાર કરીશું, તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્તરંજિત હશે.

સાંખ્યયોગ

શ્લોક 6

ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગરીયો

યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ |

યાનેવ હત્વા ન જિજીવિષામસ્-

તેઽવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ||૨-૬||

અનુવાદ

અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેયસ્કર છે—તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું. તેઓની હત્યા કરીને અમને જીવવાની ઈચ્છા પણ નહિ થાય. છતાં તેઓએ ધૃતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે, અને હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે.

સાંખ્યયોગ

શ્લોક 7

કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ

પૃચ્છામિ ત્વાં ધર્મસમ્મૂઢચેતાઃ |

યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે

શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ||૨-૭||

અનુવાદ

હું કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું. હું આપનો શિષ્ય છું તેમજ આપને શરણાગત છું. કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે.

સાંખ્યયોગ

શ્લોક 8

ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્

યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ |

અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં

રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ ||૨-૮||

અનુવાદ

મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુરહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્યયુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં, તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ.

સાંખ્યયોગ

શ્લોક 9

સઞ્જય ઉવાચ |

એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરન્તપ |

ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ||૨-૯||

સંજય ઉવાચ

અનુવાદ

સંજયે કહ્યું: આ પ્રમાણે બોલ્યા પછી, શત્રુઓનું દમન કરનાર ગુડાકેશે, હૃષીકેશને સંબોધીને કહ્યું: “હે ગોવિંદ! હું લડીશ નહિ” અને મૌન થઈ ગયો.

સાંખ્યયોગ

શ્લોક 10

તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત |

સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ ||૨-૧૦||

અનુવાદ

હે ધૃતરાષ્ટ્ર, તે પછી બંને સૈન્યોની મધ્યે, ભગવાન શ્રી કૃષ્ણે, શોકમગ્ન અર્જુનને સ્મિતપૂર્વક આ પ્રમાણે કહ્યું.

સાંખ્યયોગ

શ્લોક 11

શ્રીભગવાનુવાચ |

અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે |

ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતાઃ ||૨-૧૧||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

ભગવાને કહ્યું: તું વિદ્વત્તાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી, તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ જ્ઞાની હોય છે, તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી.

સાંખ્યયોગ

શ્લોક 12

ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ |

ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ ||૨-૧૨||

અનુવાદ

એવું ક્યારેય ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધાં રાજાઓ ન હતા અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ.

સાંખ્યયોગ

શ્લોક 13

દેહિનોઽસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા |

તથા દેહાન્તરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ||૨-૧૩||

અનુવાદ

જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે. ધીર પુરુષ આવાં પરિવર્તનથી મોહિત થતો નથી.

સાંખ્યયોગ

શ્લોક 14

માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ |

આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ||૨-૧૪||

અનુવાદ

હે કુંતીપુત્ર! ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે. તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન-જાવન કરે છે. હે ભરતવંશી! મનુષ્યે તેમને અસ્વસ્થ થયા વિના, સહન કરતાં શીખવું જોઈએ.

સાંખ્યયોગ

શ્લોક 15

યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ |

સમદુઃખસુખં ધીરં સોઽમૃતત્વાય કલ્પતે ||૨-૧૫||

અનુવાદ

હે પુરુષ શ્રેષ્ઠ, અર્જુન! જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે.

સાંખ્યયોગ

શ્લોક 16

નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ |

ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ||૨-૧૬||

અનુવાદ

જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હીન થતું નથી. દૃષ્ટાઓએ આ સત્યને બન્નેની પ્રકૃતિનાં અધ્યયનથી અવલોક્યું છે.

સાંખ્યયોગ

શ્લોક 17

અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ |

વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ ||૨-૧૭||

અનુવાદ

જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી.

સાંખ્યયોગ

શ્લોક 18

અન્તવન્ત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ |

અનાશિનોઽપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત ||૨-૧૮||

અનુવાદ

કેવળ ભૌતિક શરીર નાશવંત છે; તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી, અપ્રમેય અને શાશ્વત છે. તેથી, હે ભરતવંશી! યુદ્ધ કર.

સાંખ્યયોગ

શ્લોક 19

ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતમ્ |

ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે ||૨-૧૯||

અનુવાદ

જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે, તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.

સાંખ્યયોગ

શ્લોક 20

ન જાયતે મ્રિયતે વા કદાચિન્

નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ |

અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો

ન હન્યતે હન્યમાને શરીરે ||૨-૨૦||

અનુવાદ

આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી; ન તો એ ક્યારેક અસ્તિત્વમાન હતો કે ન તો કદાપિ વિનાશ પામ્યો હતો. આત્મા અજન્મા, શાશ્વત, અવિનાશી, અજર છે. જયારે શરીર નષ્ટ થઈ જાય છે, ત્યારે તેનો નાશ થતો નથી.

સાંખ્યયોગ

શ્લોક 21

વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ |

કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિ કમ્ ||૨-૨૧||

અનુવાદ

હે પાર્થ! જે જાણે છે કે આત્મા અવિનાશી, શાશ્વત, અજન્મા અને અચળ છે, એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે?

સાંખ્યયોગ

શ્લોક 22

વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય

નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ |

તથા શરીરાણિ વિહાય જીર્ણા-

ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ||૨-૨૨||

અનુવાદ

જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે.

સાંખ્યયોગ

શ્લોક 23

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ |

ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ||૨-૨૩||

અનુવાદ

આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી.

સાંખ્યયોગ

શ્લોક 24

અચ્છેદ્યોઽયમદાહ્યોઽયમક્લેદ્યોઽશોષ્ય એવ ચ |

નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોઽયં સનાતનઃ ||૨-૨૪||

અનુવાદ

આ આત્મા અખંડ અને અદાહ્ય છે, તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને સનાતન છે.

સાંખ્યયોગ

શ્લોક 25

અવ્યક્તોઽયમચિન્ત્યોઽયમવિકાર્યોઽયમુચ્યતે |

તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ ||૨-૨૫||

અનુવાદ

આ આત્માને અદૃશ્ય, અચિંત્ય અને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે. આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ના જોઈએ.

સાંખ્યયોગ

શ્લોક 26

અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ |

તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ||૨-૨૬||

અનુવાદ

જો, આમ છતાં, તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી.

સાંખ્યયોગ

શ્લોક 27

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ |

તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ||૨-૨૭||

અનુવાદ

જેણે જન્મ લીધો છે, તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે, તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે. તેથી, જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ.

સાંખ્યયોગ

શ્લોક 28

અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત |

અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ||૨-૨૮||

અનુવાદ

હે ભરતવંશી! બધાં જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે, જીવન દરમ્યાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુન: અપ્રગટ થઈ જાય છે. તો શોક શા માટે?

સાંખ્યયોગ

શ્લોક 29

આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેન-

માશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ |

આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ

શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ ||૨-૨૯||

અનુવાદ

કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિષે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જયારે બીજા તેના વિષે સાંભળ્યા પછી પણ, તેને લેશમાત્ર સમજી શકતા નથી.

સાંખ્યયોગ

શ્લોક 30

દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત |

તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ||૨-૩૦||

અનુવાદ

હે અર્જુન! શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે; તેથી તારે કોઈપણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં.

સાંખ્યયોગ

શ્લોક 31

સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ |

ધર્મ્યાદ્ધિ યુદ્ધાચ્છ્રેયોઽન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે ||૨-૩૧||

અનુવાદ

તદુપરાંત, ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને, તારે વિચલિત થવું જોઈએ નહીં. ખરેખર તો, ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્યમ કોઈ નથી.

સાંખ્યયોગ

શ્લોક 32

યદૃચ્છયા ચોપપન્નં સ્વર્ગદ્વારમપાવૃતમ્ |

સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ્ ||૨-૩૨||

અનુવાદ

હે પાર્થ! એ યોદ્ધાઓ ધન્ય છે, જેમને ધર્મની રક્ષા માટેનાં આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશદ્વારો ઉઘાડી આપે છે.

સાંખ્યયોગ

શ્લોક 33

અથ ચેત્ત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસિ |

તતઃ સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસિ ||૨-૩૩||

અનુવાદ

આમ છતાં પણ, જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને, આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે.

સાંખ્યયોગ

શ્લોક 34

અકીર્તિં ચાપિ ભૂતાનિ કથયિષ્યન્તિ તેઽવ્યયામ્ |

સમ્ભાવિતસ્ય ચાકીર્તિર્મરણાદતિરિચ્યતે ||૨-૩૪||

અનુવાદ

લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે. સન્માનપાત્ર વ્યક્તિ માટે, અપકીર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે.

સાંખ્યયોગ

શ્લોક 35

ભયાદ્રણાદુપરતં મંસ્યન્તે ત્વાં મહારથાઃ |

યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ ||૨-૩૫||

અનુવાદ

જે મહાન સેનાપતિઓ તારા મારે સમ્માનીય અભિપ્રાય ધરાવે છે, તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટયો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ.

સાંખ્યયોગ

શ્લોક 36

અવાચ્યવાદાંશ્ચ બહૂન્વદિષ્યન્તિ તવાહિતાઃ |

નિન્દન્તસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં નુ કિમ્ ||૨-૩૬||

અનુવાદ

તારાં શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે, અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે. અરે, આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે?

સાંખ્યયોગ

શ્લોક 37

હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ |

તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ ||૨-૩૭||

અનુવાદ

જો તું યુદ્ધ કરીશ, તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તેથી હે કુંતીપુત્ર! કૃતનિશ્ચયી થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા.

સાંખ્યયોગ

શ્લોક 38

સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ |

તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ||૨-૩૮||

અનુવાદ

સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધાં પ્રત્યે સમભાવ રાખીને, કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારાં કર્તવ્ય પાલન કરવાથી તને કદાપિ પાપ લાગશે નહીં.

સાંખ્યયોગ

શ્લોક 39

એષા તેઽભિહિતા સાઙ્ખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ |

બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ ||૨-૩૯||

અનુવાદ

અત્યાર સુધી, મેં સાંખ્ય યોગનું અર્થાત્ આત્માની પ્રકૃતિ અંગે પૃથકકરણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે. હે પાર્થ! હવે હું બુદ્ધિયોગ પ્રગટ કરું છે, તેને તું સાંભળ. જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ, તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ.

સાંખ્યયોગ

શ્લોક 40

નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે |

સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ||૨-૪૦||

અનુવાદ

આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી, હાનિ કે વિપરીત પરિણામ મળતાં નથી અને થોડાંક પ્રયત્નો પણ મહા ભયમાંથી બચાવી લે છે.

સાંખ્યયોગ

શ્લોક 41

વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનન્દન |

બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોઽવ્યવસાયિનામ્ ||૨-૪૧||

અનુવાદ

હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દૃઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એકમાત્ર જ હોય છે. જે મનુષ્યો દૃઢ સંકલ્પમાં સ્થિત નથી, તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે.

સાંખ્યયોગ

શ્લોક 42, 43, 44

યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્યવિપશ્ચિતઃ |

વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ ||૨-૪૨||

કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ |

ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્વર્યગતિં પ્રતિ ||૨-૪૩||

ભોગૈશ્વર્યપ્રસક્તાનાં તયાપહૃતચેતસામ્ |

વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે ||૨-૪૪||

અનુવાદ

અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે, જેઓ સ્વર્ગલોક-પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે, વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી. તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમાગાન કરે છે, જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છ, અને ઉત્તમ જન્મ, ઐશ્વર્ય, ઇન્દ્રિયજન્ય સુખ, તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિધિઓનાં અનુષ્ઠાનો કરે છે.

સાંખ્યયોગ

શ્લોક 45

ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન |

નિર્દ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ||૨-૪૫||

અનુવાદ

જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે, તેઓ એ દૃઢ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે, જે ભગવદ્-માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે.

સાંખ્યયોગ

શ્લોક 46

યાવાનર્થ ઉદપાને સર્વતઃ સમ્પ્લુતોદકે |

તાવાન્સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ ||૨-૪૬||

અનુવાદ

વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન! આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત થા. તારી જાતને દ્વૈતભાવથી મુક્ત કરી, શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ, આત્મામાં સ્થિર થા.

સાંખ્યયોગ

શ્લોક 47

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન |

મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોઽસ્ત્વકર્મણિ ||૨-૪૭||

અનુવાદ

જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે, વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે. બરાબર એ જ પ્રમાણે, જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેને માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે.

સાંખ્યયોગ

શ્લોક 48

યોગસ્થઃ કુરુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ધનઞ્જય |

સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ||૨-૪૮||

અનુવાદ

તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોનાં ફળો પર અધિકાર નથી. તું કદાપિ પોતાની જાતને પોતાનાં કર્મોનાં ફળોનું કારણ માનીશ નહિ અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહિ.

સાંખ્યયોગ

શ્લોક 49

દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનઞ્જય |

બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ ||૨-૪૯||

અનુવાદ

હે અર્જુન! સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યજીને, તારા કર્મોના પાલનમાં સ્થિર થા. આવી સમતાને સમત્વ યોગ કહે છે.

સાંખ્યયોગ

શ્લોક 50

બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે |

તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્ ||૨-૫૦||

અનુવાદ

હે અર્જુન! દિવ્યજ્ઞાન અને આંતરદૃષ્ટિનું શરણ ગ્રહણ કરો; તેમજ આસક્તિ યુક્ત કર્મોનો ત્યાગ કરો, જે દિવ્યજ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકૃષ્ટ છે. તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે, જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે.

સાંખ્યયોગ

શ્લોક 51

કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ |

જન્મબન્ધવિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયમ્ ||૨-૫૧||

અનુવાદ

જેઓ વિચારપૂર્વક આસક્તિરહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, તેઓ આ જ જીવનમાં સારાં ને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે. તેથી યોગ માટે પ્રયાસ કર, જે (ઉચિત ચેતનામાં) કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે.

સાંખ્યયોગ

શ્લોક 52

યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ |

તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ||૨-૫૨||

અનુવાદ

સમબુદ્ધિ યુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, જે વ્યક્તિને જન્મ-મરણના ચક્રમાં બાંધી દે છે. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી, તેઓ સર્વ દુઃખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે.

સાંખ્યયોગ

શ્લોક 53

શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા |

સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ ||૨-૫૩||

અનુવાદ

જયારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે, ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે, (આ સંસારના તેમજ પરલોકના સુખો) તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ.

સાંખ્યયોગ

શ્લોક 54

અર્જુન ઉવાચ |

સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ |

સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ ||૨-૫૪||

અર્જુન ઉવાચ

અનુવાદ

જયારે તારી બુદ્ધિનું વેદોના આલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે, ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ.

સાંખ્યયોગ

શ્લોક 55

શ્રીભગવાનુવાચ |

પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્ |

આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે ||૨-૫૫||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

અર્જુને કહ્યું: હે કેશવ! જેઓ સ્થિતપ્રજ્ઞ મનુષ્ય છે, તેઓની પ્રકૃતિ કેવી હોય છે? સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે? તે કેવી રીતે બેસે છે? તે કેવી રીતે ચાલે છે?

સાંખ્યયોગ

શ્લોક 56

દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ |

વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે ||૨-૫૬||

અનુવાદ

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા: હે પાર્થ! જયારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનો તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે અને આત્મ-સાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્યને સ્થિતપ્રજ્ઞ કહી શકાય.

સાંખ્યયોગ

શ્લોક 57

યઃ સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્ |

નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ||૨-૫૭||

અનુવાદ

જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી, જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તેને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે.

સાંખ્યયોગ

શ્લોક 58

યદા સંહરતે ચાયં કૂર્મોઽઙ્ગાનીવ સર્વશઃ |

ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ||૨-૫૮||

અનુવાદ

જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિરહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી, તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે.

સાંખ્યયોગ

શ્લોક 59

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ |

રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે ||૨-૫૯||

અનુવાદ

જેવી રીતે કાચબો તેનાં સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયભોગોમાંથી પાછી ખેંચી લે છે, તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે.

સાંખ્યયોગ

શ્લોક 60

યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ |

ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મનઃ ||૨-૬૦||

અનુવાદ

મુમુક્ષુઓ ઇન્દ્રિયોને તેના વિષયભોગોથી ભલે દૂર રાખે, પરંતુ ઇન્દ્રિયોના વિષયભોગમાં રસ તો અકબંધ રહે છે. જો કે, જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે, તેઓ માટે આ રસ સમાપ્ત થઈ જાય છે.

સાંખ્યયોગ

શ્લોક 61

તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ |

વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ||૨-૬૧||

અનુવાદ

હે કુંતીપુત્ર અર્જુન! ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે, તે વિવેક પૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મ-નિયંત્રણની સાધના કરતાં મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે.

સાંખ્યયોગ

શ્લોક 62 અને 63

ધ્યાયતો વિષયાન્પુંસઃ સઙ્ગસ્તેષૂપજાયતે |

સઙ્ગાત્સઞ્જાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ||૨-૬૨||

ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ |

સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ||૨-૬૩||

અનુવાદ

જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે, તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે.

સાંખ્યયોગ

શ્લોક 64

રાગદ્વેષવિમુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્ | (or વિયુક્તૈસ્તુ)

આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ ||૨-૬૪||

અનુવાદ

ઇન્દ્રિયવિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે.

સાંખ્યયોગ

શ્લોક 65

પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે |

પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ||૨-૬૫||

અનુવાદ

ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે, જેને કારણે સ્મૃતિભ્રંશ થાય છે. જયારે સ્મૃતિભ્રંશ થાય છે, ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે.

સાંખ્યયોગ

શ્લોક 66

નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના |

ન ચાભાવયતઃ શાન્તિરશાન્તસ્ય કુતઃ સુખમ્ ||૨-૬૬||

અનુવાદ

પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષયભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે.

સાંખ્યયોગ

શ્લોક 67

ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોઽનુવિધીયતે |

તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ ||૨-૬૭||

અનુવાદ

દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે. આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દૃઢપણે સ્થિર થઈ જાય છે.

સાંખ્યયોગ

શ્લોક 68

તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ |

ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ||૨-૬૮||

અનુવાદ

પરંતુ બિનઅનુશાસિત મનુષ્ય, જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, તે ભગવાન પ્રત્યે ન તો દૃઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે. જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ નથી; અને જેને શાંતિનો અભાવ છે, તે કેવી રીતે સુખી થઈ શકે?

સાંખ્યયોગ

શ્લોક 69

યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી |

યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ||૨-૬૯||

અનુવાદ

જેવી રીતે, પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે, તેવી રીતે, એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે, તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે.

સાંખ્યયોગ

શ્લોક 70

આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં

સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ |

તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે

સ શાન્તિમાપ્નોતિ ન કામકામી ||૨-૭૦||

અનુવાદ

તેથી હે મહાબાહુ અર્જુન! જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે, તે દૃઢપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે.

સાંખ્યયોગ

શ્લોક 71

વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ |

નિર્મમો નિરહઙ્કારઃ સ શાન્તિમધિગચ્છતિ ||૨-૭૧||

અનુવાદ

જેને સર્વ જીવો દિવસ માને છે, તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને સર્વ જીવો રાત્રિ તરીકે જોવે છે, તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે.

સાંખ્યયોગ

શ્લોક 72

એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ |

સ્થિત્વાસ્યામન્તકાલેઽપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ ||૨-૭૨||

અનુવાદ

જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી, તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે: તેને શાંતિની પ્રાપ્તિ થાય છે, નહિ કે તે મનુષ્યને જે કામનાપૂર્તિ માટે મથ્યા કરે છે.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યામ્ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવદે સાંખ્યયોગો નામ દ્વિતીયોધ્યાયઃ

માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.

પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.

આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
  • સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
  • મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
Video Generation Preview

ઊંડા નિમજ્જનનો અનુભવ કરો

નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.