સાંખ્યયોગ - શ્લોક શ્લોક 42, 43, 44
શ્લોક 42, 43, 44
યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્યવિપશ્ચિતઃ |
વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ ||૨-૪૨||
કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ |
ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્વર્યગતિં પ્રતિ ||૨-૪૩||
ભોગૈશ્વર્યપ્રસક્તાનાં તયાપહૃતચેતસામ્ |
વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે ||૨-૪૪||
અનુવાદ
અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે, જેઓ સ્વર્ગલોક-પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે, વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી. તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમાગાન કરે છે, જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છ, અને ઉત્તમ જન્મ, ઐશ્વર્ય, ઇન્દ્રિયજન્ય સુખ, તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિધિઓનાં અનુષ્ઠાનો કરે છે.