સાંખ્યયોગ - શ્લોક શ્લોક 27
શ્લોક 27
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ |
તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ||૨-૨૭||
અનુવાદ
જેણે જન્મ લીધો છે, તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે, તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે. તેથી, જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ.