અધ્યાય 10

વિભૂતિયોગ

અથ દશમોઽધ્યાયઃ

42 વિભાગો
વિભૂતિયોગ

શ્લોક 1

શ્રીભગવાનુવાચ |

ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ |

યત્તેઽહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા ||૧૦-૧||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

શ્રી ભગવાને કહ્યું: હે મહાબાહુ, મારો દિવ્ય ઉપદેશ પુન: સાંભળ. તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણાર્થે હું તેને પ્રગટ કરીશ.

વિભૂતિયોગ

શ્લોક 2

ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ |

અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ ||૧૦-૨||

અનુવાદ

ન તો સ્વર્ગીય દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે. હું એ આદિ સ્રોત છું, જેમાંથી દેવો તથા મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે.

વિભૂતિયોગ

શ્લોક 3

યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ |

અસમ્મૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે ||૧૦-૩||

અનુવાદ

જે લોકો મને અજન્મા તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડનાં પરમ સ્વામી તરીકે જાણે છે, મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમથી રહિત છે તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે.

વિભૂતિયોગ

શ્લોક 4 અને 5

બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ |

સુખં દુઃખં ભવોઽભાવો ભયં ચાભયમેવ ચ ||૧૦-૪||

અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોઽયશઃ |

ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ ||૧૦-૫||

અનુવાદ

મનુષ્યોમાં બુદ્ધિ, જ્ઞાન, વૈચારિક સ્પષ્ટતા, ક્ષમા, સત્યતા, ઇન્દ્રિયો તથા મન પર સંયમ, સુખ તથા દુઃખ, જન્મ તથા મૃત્યુ, ભય તથા નિર્ભયતા, અહિંસા, સમતા, તુષ્ટિ, તપશ્ચર્યા, દાન, યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારનાં ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે.

વિભૂતિયોગ

શ્લોક 6

મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા |

મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ ||૧૦-૬||

અનુવાદ

સપ્ત મહર્ષિગણ, તેમની પૂર્વે થયેલ ચાર મહાન સંતો તથા ચૌદ મનુઓ, આ સર્વ મારા મનથી જન્મ પામ્યા છે. આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવતરિત થયાં છે.

વિભૂતિયોગ

શ્લોક 7

એતાં વિભૂતિં યોગં ચ મમ યો વેત્તિ તત્ત્વતઃ |

સોઽવિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ ||૧૦-૭||

અનુવાદ

જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે, તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકીકૃત થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી.

વિભૂતિયોગ

શ્લોક 8

અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે |

ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસમન્વિતાઃ ||૧૦-૮||

અનુવાદ

હું સર્વ સૃષ્ટિનો સ્રોત છું. સર્વ તત્ત્વો મારામાંથી ઉદ્ભવે છે. જે વિદ્વાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક પૂર્ણપણે મારી આરાધના કરે છે.

વિભૂતિયોગ

શ્લોક 9

મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્ |

કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ ||૧૦-૯||

અનુવાદ

તેમનું મન મારામાં સ્થિર કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને, મારા ભક્તો સદૈવ મારામાં તૃપ્ત રહે છે. તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તુષ્ટિ પ્રાપ્ત કરે છે.

વિભૂતિયોગ

શ્લોક 10

તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ |

દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ||૧૦-૧૦||

અનુવાદ

જેમનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલું રહે છે, હું તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું. જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે.

વિભૂતિયોગ

શ્લોક 11

તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ |

નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ||૧૦-૧૧||

અનુવાદ

તેમના પર અનુકંપા કરીને, તેમનાં અંત: કરણમાં નિવાસ કરનારો હું અજ્ઞાનથી જન્મેલ અંધકારને જ્ઞાનનાં તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું.

વિભૂતિયોગ

શ્લોક 12 અને 13

અર્જુન ઉવાચ |

પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ |

પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ||૧૦-૧૨||

આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા |

અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ||૧૦-૧૩||

અર્જુન ઉવાચ

અનુવાદ

અર્જુને કહ્યું: આપ પરમ દિવ્ય વિભૂતિ, પરમ ધામ, પરમ પવિત્ર, શાશ્વત ભગવાન, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો.

વિભૂતિયોગ

શ્લોક 14

સર્વમેતદૃતં મન્યે યન્માં વદસિ કેશવ |

ન હિ તે ભગવન્વ્યક્તિં વિદુર્દેવા ન દાનવાઃ ||૧૦-૧૪||

અનુવાદ

હે કૃષ્ણ! આપે જે કહ્યું તે સર્વનો સત્ય તરીકે હું પૂર્ણત: સ્વીકાર કરું છે. હે ભગવન્! ન તો દેવો કે ન તો દાનવો આપના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે છે.

વિભૂતિયોગ

શ્લોક 15

સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ |

ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે ||૧૦-૧૫||

અનુવાદ

હે પુરુષોત્તમ, સર્વ જીવોના સર્જક તથા સ્વામી, દેવોના ભગવાન તથા બ્રહ્માંડના સ્વામી, વાસ્તવમાં, કેવળ આપ જ આપની અંતરંગ શક્તિ દ્વારા સ્વયંને જાણો છો.

વિભૂતિયોગ

શ્લોક 16

વક્તુમર્હસ્યશેષેણ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ |

યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસિ ||૧૦-૧૬||

અનુવાદ

જેના દ્વારા આપ સર્વ લોકોમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો, આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો. હે યોગના પરમ આચાર્ય, હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું? તથા હે પરમ દિવ્ય વિભૂતિ, ધ્યાનાવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું?

વિભૂતિયોગ

શ્લોક 17

કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિન્તયન્ |

કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોઽસિ ભગવન્મયા ||૧૦-૧૭||

અનુવાદ

આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટય અંગે મને પુન: વિસ્તારપૂર્વક કહો. હે જનાર્દન, આપના અમૃતનું શ્રવણ કરતાં મને કદાપિ તૃપ્તિ થતી નથી.

વિભૂતિયોગ

શ્લોક 18

વિસ્તરેણાત્મનો યોગં વિભૂતિં ચ જનાર્દન |

ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મેઽમૃતમ્ ||૧૦-૧૮||

અનુવાદ

આનંદસ્વરૂપ ભગવાને કહ્યું: હે કુરુઓમાં શ્રેષ્ઠ, મારાં દિવ્ય ઐશ્વર્યોનું હું હવે સંક્ષિપ્તમાં વર્ણન કરીશ. કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી.

વિભૂતિયોગ

શ્લોક 19

શ્રીભગવાનુવાચ |

હન્ત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ |

પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે ||૧૦-૧૯||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત છું. હું સર્વ જીવોનો આદિ, મધ્ય તથા અંત છું.

વિભૂતિયોગ

શ્લોક 20

અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ |

અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ ||૧૦-૨૦||

અનુવાદ

અદિતિના બાર પુત્રોમાંથી હું વિષ્ણુ છું; જ્યોતિઓમાં હું સૂર્ય છું. મરુતોમાં હું મરીચિ છું અને રાત્રિના અવકાશમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું.

વિભૂતિયોગ

શ્લોક 21

આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન્ |

મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી ||૧૦-૨૧||

અનુવાદ

વેદોમાં હું સામવેદ છું અને સ્વર્ગીય દેવોમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં હું મન છું; જીવંત પ્રાણીઓમાં હું ચેતના છું.

વિભૂતિયોગ

શ્લોક 22

વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ |

ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ||૧૦-૨૨||

અનુવાદ

સર્વ રુદ્રોમાં મને શંકર જાણ; યક્ષોમાં હું કુબેર છું. સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ છું.

વિભૂતિયોગ

શ્લોક 23

રુદ્રાણાં શઙ્કરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ |

વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ||૧૦-૨૩||

અનુવાદ

હે અર્જુન, સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું; સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું; તથા જળાશયોમાં મને સમુદ્ર જાણ.

વિભૂતિયોગ

શ્લોક 24

પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્ |

સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ ||૧૦-૨૪||

અનુવાદ

મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાક્ષરી ઓમ (ૐ) છું. યજ્ઞોમાં મને જપ-યજ્ઞ (પવિત્ર નામોનું કીર્તન) જાણ તથા સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું.

વિભૂતિયોગ

શ્લોક 25

મહર્ષીણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ્ |

યજ્ઞાનાં જપયજ્ઞોઽસ્મિ સ્થાવરાણાં હિમાલયઃ ||૧૦-૨૫||

અનુવાદ

વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું; દેવર્ષિઓમાં હું નારદ છું. ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધોમાં હું કપિલ મુનિ છું.

વિભૂતિયોગ

શ્લોક 26 અને 27

અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ |

ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ||૧૦-૨૬||

ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ |

ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ||૧૦-૨૭||

અનુવાદ

અશ્વોમાં મને ઉચ્ચૈ: શ્રવા જાણ, જે અમૃત માટે થયેલાં સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું.

વિભૂતિયોગ

શ્લોક 28 અને 29

આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્ |

પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ ||૧૦-૨૮||

અનન્તશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહમ્ |

પિતૄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ્ ||૧૦-૨૯||

અનુવાદ

હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં કામધેનુ છું. પ્રજોત્પત્તિનાં કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું; સર્પોમાં વાસુકિ છું.

વિભૂતિયોગ

શ્લોક 30

પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહમ્ |

મૃગાણાં ચ મૃગેન્દ્રોઽહં વૈનતેયશ્ચ પક્ષિણામ્ ||૧૦-૩૦||

અનુવાદ

સર્વ નાગોમાં હું અનંત છું; સર્વ જળચરોમાં હું વરુણ છું. સર્વ દિવંગત પૂર્વજોમાં હું અર્યમા છું; સર્વ કાયદાના નિયામકોમાં હું મૃત્યુનો દેવ, યમરાજ છું.

વિભૂતિયોગ

શ્લોક 31

પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહમ્ |

ઝષાણાં મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી ||૧૦-૩૧||

અનુવાદ

દૈત્યોમાં હું પ્રહલાદ છું; સર્વ નિયંત્રકોમાં હું સમય છું. પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં ગરુડ જાણ.

વિભૂતિયોગ

શ્લોક 32

સર્ગાણામાદિરન્તશ્ચ મધ્યં ચૈવાહમર્જુન |

અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં વાદઃ પ્રવદતામહમ્ ||૧૦-૩૨||

અનુવાદ

પવિત્ર કરનારામાં હું વાયુ છું તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું. જળચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું.

વિભૂતિયોગ

શ્લોક 33

અક્ષરાણામકારોઽસ્મિ દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ |

અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતોમુખઃ ||૧૦-૩૩||

અનુવાદ

હે અર્જુન, મને સર્વ સર્જનોનો આદિ, મધ્ય તથા અંત જાણ. વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું તથા તર્કોમાં હું તાર્કિક નિષ્કર્ષ છું.

વિભૂતિયોગ

શ્લોક 34

મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્ |

કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ||૧૦-૩૪||

અનુવાદ

હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર ‘અ’ છું; હું સમાસોમાં દ્વન્દ્વ શબ્દ છું. હું અક્ષયકાળ છું તથા સ્રષ્ટાઓમાં બ્રહ્મા છું.

વિભૂતિયોગ

શ્લોક 35

બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્ |

માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ ||૧૦-૩૫||

અનુવાદ

હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારું મૂળ હું છું. સ્ત્રૈણ ગુણોમાં હું કીર્તિ, સમૃદ્ધિ, વાણી, સ્મૃતિ, મેધા, સાહસ અને ક્ષમા છું.

વિભૂતિયોગ

શ્લોક 36

દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ |

જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ||૧૦-૩૬||

અનુવાદ

સામવેદનાં સ્તોત્રોમાં મને બૃહત્સામ જાણ; સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું. હિંદુ પંચાંગનાં બાર મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું.

વિભૂતિયોગ

શ્લોક 37

વૃષ્ણીનાં વાસુદેવોઽસ્મિ પાણ્ડવાનાં ધનઞ્જયઃ |

મુનીનામપ્યહં વ્યાસઃ કવીનામુશના કવિઃ ||૧૦-૩૭||

અનુવાદ

કપટીઓના દ્યુતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું છું. વિજયીઓમાં હું વિજય છું, સંકલ્પમાં દૃઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું.

વિભૂતિયોગ

શ્લોક 38

દણ્ડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ્ |

મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહમ્ ||૧૦-૩૮||

અનુવાદ

વૃષ્ણીઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું. મુનિઓમાં મને વેદ વ્યાસ તથા મહાન વિચારકોમાં શુક્રાચાર્ય જાણ.

વિભૂતિયોગ

શ્લોક 39

યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન |

ન તદસ્તિ વિના યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્ ||૧૦-૩૯||

અનુવાદ

અરાજકતાને અટકાવવા માટેનાં માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે, તેઓમાં નીતિ છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું.

વિભૂતિયોગ

શ્લોક 40

નાન્તોઽસ્તિ મમ દિવ્યાનાં વિભૂતીનાં પરન્તપ |

એષ તૂદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા ||૧૦-૪૦||

અનુવાદ

હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનું જનક બીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે.

વિભૂતિયોગ

શ્લોક 41

યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા |

તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસમ્ભવમ્ ||૧૦-૪૧||

અનુવાદ

હે પરંતપ, મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી. મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે, તે મારા અનંત ઐશ્વર્યોની એક ઝાંખી છે.

વિભૂતિયોગ

શ્લોક 42

અથવા બહુનૈતેન કિં જ્ઞાતેન તવાર્જુન |

વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત્ ||૧૦-૪૨||

અનુવાદ

તું જે કંઈ સૌંદર્ય, ઐશ્વર્ય અથવા તેજસ જોવે, તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તણખો જાણ.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યામ્ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવદે વિભૂતિયોગો નામ દશમોધ્યાયઃ

માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.

પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.

આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
  • સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
  • મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
Video Generation Preview

ઊંડા નિમજ્જનનો અનુભવ કરો

નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.