અધ્યાય 4

જ્ઞાનકર્મસન્યાસયોગ

અથ ચતુર્થોધ્યાય

42 વિભાગો
જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 1

શ્રીભગવાનુવાચ |

ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ |

વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેઽબ્રવીત્ ||૪-૧||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બોલ્યા: મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, જેમણે તે મનુને અને પશ્ચાત્ મનુએ ઈશ્વાકુને આ ઉપદેશ આપ્યો.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 2

એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ |

સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ ||૪-૨||

અનુવાદ

હે શત્રુઓનું દમન કરનાર! આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરૂ-શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું. પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 3

સ એવાયં મયા તેઽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ |

ભક્તોઽસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્ ||૪-૩||

અનુવાદ

તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે, તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું, કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે, જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 4

અર્જુન ઉવાચ |

અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ |

કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ ||૪-૪||

અર્જુન ઉવાચ

અનુવાદ

અર્જુને કહ્યું: આપ વિવસ્વાનથી ઘણા સમય પશ્ચાત્ જનમ્યા છો. હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો?

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 5

શ્રીભગવાનુવાચ |

બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન |

તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરન્તપ ||૪-૫||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

ભગવાને કહ્યું: હે અર્જુન! તારા અને મારા બંનેનાં અનંત જન્મો થઈ ચૂક્યા છે. તું એ ભૂલી ગયો છે, જયારે હે પરંતપ! મને એ સર્વનું સ્મરણ છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 6

અજોઽપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોઽપિ સન્ |

પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સમ્ભવામ્યાત્મમાયયા ||૪-૬||

અનુવાદ

યદ્યપિ હું અજન્મા છું, સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું, તથાપિ આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 7

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત |

અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ||૪-૭||

અનુવાદ

જયારે જયારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, હે અર્જુન! ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 8

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ |

ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ||૪-૮||

અનુવાદ

ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મનાં સિદ્ધાંતોની પુન: સ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાઉં છું.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 9

જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ |

ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોઽર્જુન ||૪-૯||

અનુવાદ

હે અર્જુન! જે મારાં જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તેમણે આ શરીર ત્યજ્યા પશ્ચાત્ સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી, પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 10

વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ |

બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતાઃ ||૪-૧૦||

અનુવાદ

આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને, અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 11

યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ |

મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ||૪-૧૧||

અનુવાદ

જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ! સર્વ મનુષ્યો જાણતાં કે અજાણતાં મારા જ માર્ગનું અનુસરણ કરે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 12

કાઙ્ક્ષન્તઃ કર્મણાં સિદ્ધિં યજન્ત ઇહ દેવતાઃ |

ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા ||૪-૧૨||

અનુવાદ

આ સંસારમાં, જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે કારણ કે, સકામ કર્મોના ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 13

ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશઃ |

તસ્ય કર્તારમપિ માં વિદ્ધ્યકર્તારમવ્યયમ્ ||૪-૧૩||

અનુવાદ

મનુષ્યનાં ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમનાં ચાર વિભાગની રચના કરવામાં આવી છે. જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું, છતાં મને અકર્તા અને સનાતન જાણ.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 14

ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મફલે સ્પૃહા |

ઇતિ માં યોઽભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ||૪-૧૪||

અનુવાદ

મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મનાં ફળની આકાંક્ષા છે. જે મારાં આ સ્વરૂપને જાણે છે, તે કદાપિ કર્મફળના બંધનમાં બંધાતો નથી.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 15

એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિઃ |

કુરુ કર્મૈવ તસ્માત્ત્વં પૂર્વૈઃ પૂર્વતરં કૃતમ્ ||૪-૧૫||

અનુવાદ

આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષુઓએ પણ કર્મો કર્યા હતા. તેથી, તારે પણ તે પ્રાચીન સંતોનાં પગલાંઓને અનુસરીને પોતાનાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 16

કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ |

તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ||૪-૧૬||

અનુવાદ

કર્મ શું છે અને અકર્મ શું છે? જ્ઞાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે. હવે હું તને કર્મનું રહસ્ય કહીશ, જે જાણીને તું તારી જાતને માયિક બંધનોથી મુક્ત કરી શકીશ.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 17

કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ |

અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ||૪-૧૭||

અનુવાદ

તારે ત્રણેય કર્મો—સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ—ની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 18

કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ |

સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ||૪-૧૮||

અનુવાદ

જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે, તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે. સર્વ પ્રકારનાં કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમનાં સર્વ કર્મોનાં નિષ્ણાત છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 19

યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસઙ્કલ્પવર્જિતાઃ |

જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પણ્ડિતં બુધાઃ ||૪-૧૯||

અનુવાદ

પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે, જેમનાં પ્રત્યેક કર્મ માયિક સુખોની કામનાથી મુક્ત હોય છે તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 20

ત્યક્ત્વા કર્મફલાસઙ્ગં નિત્યતૃપ્તો નિરાશ્રયઃ |

કર્મણ્યભિપ્રવૃત્તોઽપિ નૈવ કિઞ્ચિત્કરોતિ સઃ ||૪-૨૦||

અનુવાદ

આવા લોકો, પોતાનાં કર્મનાં ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી. તેઓ સર્વ પ્રકારનાં કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 21

નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ |

શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ||૪-૨૧||

અનુવાદ

તેઓ અપેક્ષાઓ તથા સ્વામીત્વની ભાવનાથી મુક્ત થઈને, મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને, શારીરિક દૃષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 22

યદૃચ્છાલાભસન્તુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સરઃ |

સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ||૪-૨૨||

અનુવાદ

જે મનુષ્ય સ્વત: પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે, ઈર્ષ્યાથી મુક્ત રહે છે, તેઓ જીવનના દ્વન્દ્વથી રહિત છે. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપિ બદ્ધ થતા નથી.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 23

ગતસઙ્ગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ |

યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે ||૪-૨૩||

અનુવાદ

આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે. તેઓ સર્વ કર્મ યજ્ઞની (ભગવાનને સમર્પિત કરવાની) ભાવનાથી કરે છે, તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 24

બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્ |

બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના ||૪-૨૪||

અનુવાદ

જે મનુષ્ય ભગવદ્-ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે, તેમના માટે આહુતિ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, સમર્પણ બ્રહ્મ છે અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે. આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 25

દૈવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે |

બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્વતિ ||૪-૨૫||

અનુવાદ

કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે. અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે, તેઓ પરમ સત્ય-બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મ-આહુતિ અર્પણ કરે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 26

શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ |

શબ્દાદીન્વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ ||૪-૨૬||

અનુવાદ

અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞમાં હોમી દે છે. અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમી દે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 27

સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે |

આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે ||૪-૨૭||

અનુવાદ

કેટલાક, જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 28

દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે |

સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ ||૪-૨૮||

અનુવાદ

કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે, તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે. કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી, કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞરૂપે જ્ઞાનનો વિકાસ કરે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 29

અપાને જુહ્વતિ પ્રાણં પ્રાણેઽપાનં તથાપરે |

પ્રાણાપાનગતી રુદ્ધ્વા પ્રાણાયામપરાયણાઃ ||૪-૨૯||

અનુવાદ

વળી, અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે, જયારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે. કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ-ઉચ્છ્વાસને નિયંત્રિત કરીને, જીવન શક્તિના નિયમનમાં પૂર્ણતયા મગ્ન થઈ જાય છે. જયારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞરૂપે જીવન-શક્તિમાં અર્પિત કરે છે. આ સર્વ યજ્ઞને જાણનારાઓ, આવા યજ્ઞના પરિણામસ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 30

અપરે નિયતાહારાઃ પ્રાણાન્પ્રાણેષુ જુહ્વતિ |

સર્વેઽપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષાઃ ||૪-૩૦||

અનુવાદ

જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે, તેઓ તેના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે. હે કુરુશ્રેષ્ઠ! જેઓ યજ્ઞ કરતા નથી, તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપિ સુખ પ્રાપ્ત થતું નથી.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 31

યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ્ |

નાયં લોકોઽસ્ત્યયજ્ઞસ્ય કુતોઽન્યઃ કુરુસત્તમ ||૪-૩૧||

અનુવાદ

આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ; આ જ્ઞાન માયિક બંધનોની ગાંઠ કાપી નાખે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 32

એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે |

કર્મજાન્વિદ્ધિ તાન્સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ||૪-૩૨||

અનુવાદ

હે શત્રુઓનું દમન કરનાર! જ્ઞાનયજ્ઞ કોઈપણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે. હે પાર્થ! અંતત: સર્વ કર્મયજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 33

શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરન્તપ |

સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ||૪-૩૩||

અનુવાદ

આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 34

તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા |

ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ||૪-૩૪||

અનુવાદ

આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરૂ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન, તું ક્યારેય મોહમાં પડીશ નહિ. તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે તેમજ મારામાં જ છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 35

યજ્જ્ઞાત્વા ન પુનર્મોહમેવં યાસ્યસિ પાણ્ડવ |

યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ (var અશેષાણિ) ||૪-૩૫||

અનુવાદ

જે લોકોને સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે, તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં બેસીને માયિક સંસારનાં ભવસાગરને પાર કરી શકે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 36

અપિ ચેદસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ |

સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સન્તરિષ્યસિ ||૪-૩૬||

અનુવાદ

જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન! જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 37

યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરુતેઽર્જુન |

જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ||૪-૩૭||

અનુવાદ

આ સંસારમાં દિવ્યજ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. જે દીર્ઘકાલીન યોગસાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે, તે યથા સમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 38

ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે |

તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ||૪-૩૮||

અનુવાદ

તેઓ, જેમની શ્રદ્ધા પ્રગાઢ છે તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે, તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શીઘ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 39

શ્રદ્ધાવાઁલ્લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ |

જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ||૪-૩૯||

અનુવાદ

પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ સંશયાત્મક પ્રકૃતિ ધરાવે છે, તેમનું પતન થાય છે. કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખ છે.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 40

અજ્ઞશ્ચાશ્રદ્દધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ |

નાયં લોકોઽસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ ||૪-૪૦||

અનુવાદ

હે અર્જુન! જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે, જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે, તેમને કર્મો બાંધી શકતાં નથી.

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 41

યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસઞ્છિન્નસંશયમ્ |

આત્મવન્તં ન કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ||૪-૪૧||

અનુવાદ

તેથી, અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે, તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. હે ભરતવંશી! પોતાને કર્મયોગમાં સ્થિત કર. ઊઠ, ઊભો થા અને યુદ્ધ કર!

જ્ઞાનકર્મસન્યાસયોગ

શ્લોક 42

તસ્માદજ્ઞાનસમ્ભૂતં હૃત્સ્થં જ્ઞાનાસિનાત્મનઃ |

છિત્ત્વૈનં સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત ||૪-૪૨||

અનુવાદ

૪. ૪૨. તેથી તારા હૃદયમાં રહેલા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આત્મવિષયક સંશયને જ્ઞાનરૂપી ખડ્ગથી છેદીને, હે ભારત! યોગનો આશ્રય લઈને ઊભો થા.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યામ્ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવદે જ્ઞાનકર્મસંન્યાસયોગો નામ ચતુર્થોધ્યાયઃ

માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.

પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.

આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
  • સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
  • મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
Video Generation Preview

ઊંડા નિમજ્જનનો અનુભવ કરો

નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.