જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 21
શ્લોક 21
નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ |
શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ||૪-૨૧||
અનુવાદ
તેઓ અપેક્ષાઓ તથા સ્વામીત્વની ભાવનાથી મુક્ત થઈને, મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને, શારીરિક દૃષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી.