અધ્યાય 14

ગુણત્રયવિભાગયોગ

અથ ચતુર્દશોઽધ્યાય

27 વિભાગો
ગુણત્રયવિભાગયોગ

શ્લોક 1

શ્રીભગવાનુવાચ |

પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ |

યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ||૧૪-૧||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

દિવ્ય ભગવાને કહ્યું: હું એકવાર પુન: સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ; જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 2

ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ |

સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ ||૧૪-૨||

અનુવાદ

જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે, તે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરશે. તેમનો ન તો સર્જનના સમયે પુન: જન્મ થશે કે ન તો પ્રલયકાળે વિનાશ થશે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 3

મમ યોનિર્મહદ્ બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્ |

સમ્ભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત ||૧૪-૩||

અનુવાદ

સમગ્ર ભૌતિક પદાર્થ, પ્રકૃતિ, એ ગર્ભ છે. હું તેનું જીવાત્માથી ગર્ભાધાન કરું છું અને એ પ્રમાણે સર્વ જીવો જન્મ પામે છે. હે કુંતીપુત્ર, ઉત્પન્ન થનારી સર્વ જીવંત યોનિઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ-પ્રદાતા પિતા છું.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 4

સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સમ્ભવન્તિ યાઃ |

તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા ||૧૪-૪||

અનુવાદ

હે મહાબાહુ અર્જુન, માયાશક્તિ ત્રણ ગુણોની બનેલી છે—સત્ત્વગુણ, રજોગુણ, અને તમોગુણ. આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 5

સત્ત્વં રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિસમ્ભવાઃ |

નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ્ ||૧૪-૫||

અનુવાદ

આમાંથી સત્ત્વ ગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે. હે નિષ્પાપ અર્જુન, તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 6

તત્ર સત્ત્વં નિર્મલત્વાત્પ્રકાશકમનામયમ્ |

સુખસઙ્ગેન બધ્નાતિ જ્ઞાનસઙ્ગેન ચાનઘ ||૧૪-૬||

અનુવાદ

હે અર્જુન, રજોગુણ રાગની પ્રકૃતિ ધરાવે છે. તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોની આસક્તિ દ્વારા બદ્ધ કરે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 7

રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણાસઙ્ગસમુદ્ભવમ્ |

તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મસઙ્ગેન દેહિનમ્ ||૧૪-૭||

અનુવાદ

હે અર્જુન, તમોગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારણ છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા દ્વારા સર્વ જીવોને ભ્રમિત કરે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 8

તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિનામ્ |

પ્રમાદાલસ્યનિદ્રાભિસ્તન્નિબધ્નાતિ ભારત ||૧૪-૮||

અનુવાદ

સત્ત્વ વ્યક્તિને માયિક સુખોમાં બાંધે છે; રજસ આત્માને પ્રવૃત્તિઓ પ્રત્યે અભિસંધિત કરે છે અને તમસ જ્ઞાનને આચ્છાદિત કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 9

સત્ત્વં સુખે સઞ્જયતિ રજઃ કર્મણિ ભારત |

જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સઞ્જયત્યુત ||૧૪-૯||

અનુવાદ

હે ભરતપુત્ર, કેટલીક વાર સારાઈ (સત્ત્વ), આવેશ (રજસ) અને અજ્ઞાન (તમસ) પર આધિપત્ય ધરાવે છે. કેટલીક વાર આવેશ (રજસ), ભલાઈ (સત્ત્વ) અને અજ્ઞાન (તમસ) પર વર્ચસ્વ દર્શાવે છે અને કેટલીક વાર અજ્ઞાન (તમસ), ભલાઈ (સત્ત્વ) અને આવેશ (રજસ) પર હાવી થઈ જાય છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 10

રજસ્તમશ્ચાભિભૂય સત્ત્વં ભવતિ ભારત |

રજઃ સત્ત્વં તમશ્ચૈવ તમઃ સત્ત્વં રજસ્તથા ||૧૪-૧૦||

અનુવાદ

જયારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તેને સત્ત્વગુણની અભિવ્યક્તિ જાણ. હે અર્જુન, જયારે રજોગુણની પ્રધાનતા હોય છે, ત્યારે લોભ, સાંસારિક સિદ્ધિઓ માટે ઉદ્યમ, અનિયંત્રિતતા, અને તૃષ્ણાનો વિકાસ થાય છે. હે અર્જુન, અવિદ્યા, નિષ્ક્રિયતા, અસાવધાની, અને મોહ—આ તમોગુણના પ્રમુખ લક્ષણો છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 11

સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રકાશ ઉપજાયતે |

જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્ત્વમિત્યુત ||૧૪-૧૧||

અનુવાદ

જે લોકો સત્ત્વ ગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે, તેઓ ઋષિઓના વિશુદ્ધ લોક (જે રજસ અને તમસથી મુક્ત છે)માં જાય છે. જે લોકો રજોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે, જયારે જે લોકો તમોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ પશુ યોનિમાં જન્મ લે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 12

લોભઃ પ્રવૃત્તિરારમ્ભઃ કર્મણામશમઃ સ્પૃહા |

રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ ||૧૪-૧૨||

અનુવાદ

એવું કહેવાયું છે કે સત્ત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્યફળ પ્રદાન કરે છે. રજોગુણના પ્રભાવમાં કરેલા કર્મો દુઃખમાં પરિણમે છે, જયારે તમોગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 13

અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ |

તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનન્દન ||૧૪-૧૩||

અનુવાદ

સત્ત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે, રજોગુણથી લોભ ઉદ્ભવે છે અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 14

યદા સત્ત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયં યાતિ દેહભૃત્ |

તદોત્તમવિદાં લોકાનમલાન્પ્રતિપદ્યતે ||૧૪-૧૪||

અનુવાદ

સત્ત્વગુણી ઊર્ધ્વ-ગમન કરે છે, રજોગુણી મધ્યમાં રહે છે અને જધન્ય ગુણ-વૃત્તિ ધરાવતા લોકોનું અધ: પતન થાય છે; જયારે જે ગુણાતીત હોય છે, તે મને પ્રાપ્ત કરે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 15

રજસિ પ્રલયં ગત્વા કર્મસઙ્ગિષુ જાયતે |

તથા પ્રલીનસ્તમસિ મૂઢયોનિષુ જાયતે ||૧૪-૧૫||

અનુવાદ

જયારે જ્ઞાની મનુષ્યોને એ જ્ઞાત થાય છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કર્તા નથી અને તેઓ મને ગુણાતીત જાણે છે, ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 16

કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્ત્વિકં નિર્મલં ફલમ્ |

રજસસ્તુ ફલં દુઃખમજ્ઞાનં તમસઃ ફલમ્ ||૧૪-૧૬||

અનુવાદ

શરીર સાથે સંબંધિત માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણોથી ગુણાતીત થઈને, વ્યક્તિ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોમાંથી મુક્ત થાય છે અને શાશ્વતતા પ્રાપ્ત કરે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 17

સત્ત્વાત્સઞ્જાયતે જ્ઞાનં રજસો લોભ એવ ચ |

પ્રમાદમોહૌ તમસો ભવતોઽજ્ઞાનમેવ ચ ||૧૪-૧૭||

અનુવાદ

અર્જુને પૂછ્યું: હે પ્રભુ! જે લોકો આ ત્રણ ગુણોથી ઉપર ઊઠી ગયેલા છે, તેમના લક્ષણો કયા છે? તેઓનું આચરણ કેવું હોય છે? તેઓ ગુણોના બંધનોને કેવી રીતે ઓળંગી જાય છે?

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 18

ઊર્ધ્વં ગચ્છન્તિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ |

જઘન્યગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ ||૧૪-૧૮||

અનુવાદ

ભગવાને કહ્યું: હે અર્જુન, જે મનુષ્યો ગુણાતીત હોય છે તેઓ ન તો પ્રકાશ (જે સત્ત્વમાંથી ઉદય પામે છે), ન તો પ્રવૃત્તિ (રજસથી ઉત્પન્ન), ન તો મોહ (તમસથી ઉત્પન્ન) પ્રત્યે ન તો તેમની અત્યાધિક ઉપસ્થિતિમાં ઘૃણા કરે છે કે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની ઝંખના કરે છે. તેઓ ત્રણ ગુણો પ્રત્યે ઉદાસીન (તટસ્થ) રહે છે તથા તેમનાથી વિચલિત થતા નથી. કેવળ ગુણો જ ક્રિયાન્વિત છે, એમ જાણીને તેઓ વિહ્વળ થયા વિના સ્વમાં સ્થાપિત રહે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 19

નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ |

ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોઽધિગચ્છતિ ||૧૪-૧૯||

અનુવાદ

જે સુખ અને દુઃખમાં સમાન હોય છે; જે સ્વમાં સ્થિત હોય છે; જે માટીના ઢેફાને, પથ્થરને અને સોનાના ટુકડાને સમભાવે જોવે છે; જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓમાં સમાન રહે છે; જે ધીર છે; જે નિંદા અને સ્તુતિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે, જે માન અને અપમાન બંનેમાં સમાન ભાવથી રહે છે; જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે—તેને ત્રણ ગુણોથી પર માનવામાં આવ્યા છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 20

ગુણાનેતાનતીત્ય ત્રીન્દેહી દેહસમુદ્ભવાન્ |

જન્મમૃત્યુજરાદુઃખૈર્વિમુક્તોઽમૃતમશ્નુતે ||૧૪-૨૦||

અનુવાદ

જે મારી વિશુદ્ધ ભક્તિ સાથે સેવા કરે છે, તે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર ઉઠે છે અને બ્રહ્મની અવસ્થાએ પહોંચે છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 21

અર્જુન ઉવાચ |

કૈર્લિઙ્ગૈસ્ત્રીન્ગુણાનેતાનતીતો ભવતિ પ્રભો |

કિમાચારઃ કથં ચૈતાંસ્ત્રીન્ગુણાનતિવર્તતે ||૧૪-૨૧||

અર્જુન ઉવાચ

અનુવાદ

હું નિરાકાર બ્રહ્મનો, શાશ્વત અને અવિનાશીનો, સનાતન ધર્મનો તથા અનંત દિવ્ય આનંદનો આધાર છું.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 22, 23, 24, 25

શ્રીભગવાનુવાચ |

પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાણ્ડવ |

ન દ્વેષ્ટિ સમ્પ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાઙ્ક્ષતિ ||૧૪-૨૨||

ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે |

ગુણા વર્તન્ત ઇત્યેવં યોઽવતિષ્ઠતિ નેઙ્ગતે ||૧૪-૨૩||

સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ |

તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ||૧૪-૨૪||

માનાપમાનયોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ |

સર્વારમ્ભપરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે ||૧૪-૨૫||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

।।૧૪. ૨૨।।શ્રીભગવાને કહ્યું - હે પાંડવ! (જ્ઞાની પુરુષ) પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રવૃત્ત થવા છતાં તેમનો દ્વેષ કરતો નથી તથા નિવૃત્ત થવા પર તેમની આકાંક્ષા કરતો નથી. ।।૧૪. ૨૩।।જે ઉદાસીન સમાન આસીન થઈ ગુણો દ્વારા વિચલિત થતો નથી અને "ગુણો જ વર્તે છે" એમ જાણીને સ્થિત રહે છે અને તે સ્થિતિથી વિચલિત થતો નથી. ।।૧૪. ૨૪।।જે સ્વસ્થ (સ્વરૂપમાં સ્થિત), સુખ-દુઃખમાં સમાન રહે છે તથા માટી, પથ્થર અને સોનામાં સમદૃષ્ટિ રાખે છે; એવો વીર પુરુષ પ્રિય અને અપ્રિયને તથા નિંદા અને આત્મસ્તુતિને તુલ્ય સમજે છે. ।।૧૪. ૨૫।।જે માન અને અપમાનમાં સમાન છે; શત્રુ અને મિત્રના પક્ષમાં પણ સમાન છે, એવો સર્વ આરંભનો ત્યાગ કરનારો પુરુષ ગુણાતીત કહેવાય છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 26

માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે |

સ ગુણાન્સમતીત્યૈતાન્બ્રહ્મભૂયાય કલ્પતે ||૧૪-૨૬||

અનુવાદ

।।૧૪. ૨૬।।જે પુરુષ અવ્યભિચારી ભક્તિયોગ દ્વારા મારી સેવા અર્થાત્ ઉપાસના કરે છે, તે આ ત્રણ ગુણોથી પર થઈને બ્રહ્મ બનવાને યોગ્ય થાય છે.

ગુણત્રયવિભાગયોગ

શ્લોક 27

બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમમૃતસ્યાવ્યયસ્ય ચ |

શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાન્તિકસ્ય ચ ||૧૪-૨૭||

અનુવાદ

।।૧૪. ૨૭।।કારણ કે હું અમૃત, અવ્યય, બ્રહ્મ, શાશ્વત ધર્મ અને ઐકાંતિક અર્થાત્ પારમાર્થિક સુખની પ્રતિષ્ઠા છું.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યામ્ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવદે ગુણત્રયય્યાયોગો નામ ચતુર્દશોઽધ્યાયઃ

માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.

પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.

આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
  • સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
  • મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
Video Generation Preview

ઊંડા નિમજ્જનનો અનુભવ કરો

નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.