ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 22, 23, 24, 25
શ્લોક 22, 23, 24, 25
શ્રીભગવાનુવાચ |
પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાણ્ડવ |
ન દ્વેષ્ટિ સમ્પ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાઙ્ક્ષતિ ||૧૪-૨૨||
ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે |
ગુણા વર્તન્ત ઇત્યેવં યોઽવતિષ્ઠતિ નેઙ્ગતે ||૧૪-૨૩||
સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ |
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ||૧૪-૨૪||
માનાપમાનયોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ |
સર્વારમ્ભપરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે ||૧૪-૨૫||
અનુવાદ
।।૧૪. ૨૨।।શ્રીભગવાને કહ્યું - હે પાંડવ! (જ્ઞાની પુરુષ) પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રવૃત્ત થવા છતાં તેમનો દ્વેષ કરતો નથી તથા નિવૃત્ત થવા પર તેમની આકાંક્ષા કરતો નથી. ।।૧૪. ૨૩।।જે ઉદાસીન સમાન આસીન થઈ ગુણો દ્વારા વિચલિત થતો નથી અને "ગુણો જ વર્તે છે" એમ જાણીને સ્થિત રહે છે અને તે સ્થિતિથી વિચલિત થતો નથી. ।।૧૪. ૨૪।।જે સ્વસ્થ (સ્વરૂપમાં સ્થિત), સુખ-દુઃખમાં સમાન રહે છે તથા માટી, પથ્થર અને સોનામાં સમદૃષ્ટિ રાખે છે; એવો વીર પુરુષ પ્રિય અને અપ્રિયને તથા નિંદા અને આત્મસ્તુતિને તુલ્ય સમજે છે. ।।૧૪. ૨૫।।જે માન અને અપમાનમાં સમાન છે; શત્રુ અને મિત્રના પક્ષમાં પણ સમાન છે, એવો સર્વ આરંભનો ત્યાગ કરનારો પુરુષ ગુણાતીત કહેવાય છે.