અધ્યાય 15

પુરુષોત્તમયોગ

અથ પંચદશોઽધ્યાય

20 વિભાગો
પુરુષોત્તમયોગ

શ્લોક 1

શ્રીભગવાનુવાચ |

ઊર્ધ્વમૂલમધઃશાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્ |

છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ ||૧૫-૧||

શ્રીભગવાનુવાચ

અનુવાદ

ભગવાને કહ્યું: એમ કહેવાય છે કે શાશ્વત અશ્વત્થ વૃક્ષના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. તેનાં પર્ણો વૈદિક મંત્રો છે અને જે મનુષ્ય આ વૃક્ષના રહસ્યને જાણે છે, તે વેદોનો જ્ઞાતા છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 2

અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા

ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ |

અધશ્ચ મૂલાન્યનુસન્તતાનિ

કર્માનુબન્ધીનિ મનુષ્યલોકે ||૧૫-૨||

અનુવાદ

વૃક્ષની શાખાઓ ઉપરની તરફ તથા નીચેની તરફ વિસ્તરે છે અને ઇન્દ્રિયોના વિષયો રૂપી નાજુક કળીઓ સાથે ત્રણ ગુણોથી પોષણ પામે છે. નીચેની તરફ લટકતાં મૂળો મનુષ્ય દેહમાં કર્મનાં પ્રવાહનું કારણ છે અને તેની નીચેની શાખાઓ માનવ-જગતમાં કાર્મિક બંધનોનું કારણ છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 3 અને 4

ન રૂપમસ્યેહ તથોપલભ્યતે

નાન્તો ન ચાદિર્ન ચ સમ્પ્રતિષ્ઠા |

અશ્વત્થમેનં સુવિરૂઢમૂલં

અસઙ્ગશસ્ત્રેણ દૃઢેન છિત્ત્વા ||૧૫-૩||

તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં

યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ |

તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે |

યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી ||૧૫-૪||

અનુવાદ

આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં થતી નથી, ન તો એનો આદિ છે કે ન તો તેનો અંત છે કે ન તો તેનું નિરંતર અસ્તિત્ત્વ છે. પરંતુ આ સુદૃઢ મૂળો ધરાવતા અશ્વત્થ વૃક્ષને દૃઢ વિરક્તિના સશક્ત શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ. પશ્ચાત્ મનુષ્યે આ વૃક્ષનો આધાર શોધવો જોઈએ જે સ્વયં ભગવાન છે, જેમાંનામાંથી બ્રહ્માંડની ગતિવિધિઓનો અનાદિકાળથી પ્રવાહ વહે છે. તેમનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય આ જગતમાં પાછો ફરતો નથી.

પુરુષોત્તમયોગ

શ્લોક 5

નિર્માનમોહા જિતસઙ્ગદોષા

અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામાઃ |

દ્વન્દ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈર્-

ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્ ||૧૫-૫||

અનુવાદ

જે લોકો મિથ્યાભિમાન તથા મોહથી મુક્ત છે, જેમણે આસક્તિના દોષો પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેઓ નિત્ય આત્મા અને ભગવાનમાં જ નિવાસ કરે છે, જેઓ ઇન્દ્રિયોના ભોગની કામનાઓથી મુક્ત થયેલા છે અને સુખ અને દુઃખના દ્વન્દ્વોથી પરે છે એવી મુક્ત વિભૂતિઓ મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 6

ન તદ્ભાસયતે સૂર્યો ન શશાઙ્કો ન પાવકઃ |

યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ||૧૫-૬||

અનુવાદ

ન તો સૂર્ય કે ન ચંદ્ર કે ન અગ્નિ મારા પરમ ધામને પ્રકાશિત કરી શકે છે. ત્યાં ગયા પશ્ચાત્ કોઈ આ માયિક વિશ્વમાં પુન: પરત આવતું નથી.

પુરુષોત્તમયોગ

શ્લોક 7

મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ |

મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ||૧૫-૭||

અનુવાદ

આ માયિક સંસારમાં દેહધારી આત્માઓ મારા અતિ સૂક્ષ્મ અંશ છે. પરંતુ માયિક પ્રકૃતિથી બદ્ધ તેઓ મન સહિતની છ ઈન્દ્રિયો સાથે સંઘર્ષ કરે છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 8

શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ |

ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત્ ||૧૫-૮||

અનુવાદ

જે રીતે વાયુ સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, તેવી રીતે દેહધારી આત્મા જયારે તે જૂના શરીરનો ત્યાગ કરે છે અને નવા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની સાથે મન તથા ઇન્દ્રિયોને લઈ જાય છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 9

શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણમેવ ચ |

અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ||૧૫-૯||

અનુવાદ

કર્ણ, નેત્રો, ત્વચા, જિહ્વા અને નાક—કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત થયેલા હોય છે—તેમના પ્રત્યક્ષીકરણનો ઉપયોગ કરીને, આત્મા ઈન્દ્રિય વિષયોનો ભોગ કરે છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 10

ઉત્ક્રામન્તં સ્થિતં વાપિ ભુઞ્જાનં વા ગુણાન્વિતમ્ |

વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ ||૧૫-૧૦||

અનુવાદ

શરીરમાં નિવાસ કરતા અને ઇન્દ્રિય વિષયોને ભોગવતા આત્માનો બોધ વિમૂઢ મનુષ્યોને થતો નથી, કે જયારે તે વિદાય લે છે ત્યારે પણ તેનો બોધ થતો નથી. પરંતુ જેઓ જ્ઞાનરૂપી ચક્ષુ ધરાવે છે તેઓ તેને જોઈ શકે છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 11

યતન્તો યોગિનશ્ચૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્ |

યતન્તોઽપ્યકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ ||૧૫-૧૧||

અનુવાદ

ભગવદ્ પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહેલા યોગીઓ પણ શરીરમાં પ્રતિષ્ઠાપિત આત્માની અનુભૂતિ કરવા માટે સમર્થ હોય છે. પરંતુ જેમનું મન વિશુદ્ધ હોતું નથી, તેઓ એમ કરવાનો પ્રયાસ કરે તો પણ તેમને તેની જાણ થતી નથી.

પુરુષોત્તમયોગ

શ્લોક 12

યદાદિત્યગતં તેજો જગદ્ભાસયતેઽખિલમ્ |

યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ્ ||૧૫-૧૨||

અનુવાદ

એ જાણ કે હું સૂર્યના તેજ સમાન છું, જે સમગ્ર સૂર્ય મંડળને પ્રકાશિત કરે છે. ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારામાંથી જ આવે છે, એમ જાણ.

પુરુષોત્તમયોગ

શ્લોક 13

ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા |

પુષ્ણામિ ચૌષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ ||૧૫-૧૩||

અનુવાદ

પૃથ્વીમાં વ્યાપીને હું મારી શક્તિ દ્વારા સર્વ જીવોનું પોષણ કરું છું. ચંદ્ર બનીને, હું સર્વ વનસ્પતિઓનું જીવન-રસથી પોષણ કરું છું.

પુરુષોત્તમયોગ

શ્લોક 14

અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ |

પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ||૧૫-૧૪||

અનુવાદ

એ હું છું, જે સર્વ જીવોનાં ઉદરમાં જઠરાગ્નિ સ્વરૂપ ધારણ કરું છું અને શ્વાસ-પ્રશ્વાસના સંયોજનથી ચાર પ્રકારનાં ખોરાક બનાવું છું અને પચાવું છું.

પુરુષોત્તમયોગ

શ્લોક 15

સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો

મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનઞ્ચ |

વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો

વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્ ||૧૫-૧૫||

અનુવાદ

હું સર્વ જીવોના અંત: કરણમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ, જ્ઞાન તેમજ વિસ્મૃતિ ઉત્પન્ન થાય છે. એકમાત્ર હું જ સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય છું, હું વેદાંતનો રચયિતા છું તથા વેદોના અર્થનો જ્ઞાતા છું.

પુરુષોત્તમયોગ

શ્લોક 16

દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ |

ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોઽક્ષર ઉચ્યતે ||૧૫-૧૬||

અનુવાદ

સૃષ્ટિમાં બે પ્રકારના જીવો હોય છે, ક્ષર તથા અક્ષર. સર્વ નશ્વર જીવો માયિક પ્રદેશમાં હોય છે. અવિનાશી જીવો મુક્ત જીવો હોય છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 17

ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુધાહૃતઃ |

યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ ||૧૫-૧૭||

અનુવાદ

તેનાથી અતિરિક્ત, એક પરમ દિવ્ય વિભૂતિ છે, જે અવિનાશી પરમ આત્મા છે. તેઓ અપરિવર્તનીય નિયંતા સ્વરૂપે ત્રણ લોકમાં પ્રવેશ કરે છે તથા સર્વ જીવોનું પાલન કરે છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 18

યસ્માત્ક્ષરમતીતોઽહમક્ષરાદપિ ચોત્તમઃ |

અતોઽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ ||૧૫-૧૮||

અનુવાદ

હું નશ્વર સાંસારિક પદાર્થો તથા અવિનાશી આત્માથી પણ અનુભવાતીત છું; તેથી વેદો અને સ્મૃતિઓમાં મને પરમ દિવ્ય પુરુષ સ્વરૂપે પ્રતિષ્ઠાપિત કરાયો છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 19

યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ્ |

સ સર્વવિદ્ભજતિ માં સર્વભાવેન ભારત ||૧૫-૧૯||

અનુવાદ

જે લોકો સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે જાણે છે, તેઓ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. હે અર્જુન, તેઓ પૂર્ણપણે સર્વ ભાવોથી મારી ભક્તિ કરે છે.

પુરુષોત્તમયોગ

શ્લોક 20

ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનઘ |

એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન્સ્યાત્કૃતકૃત્યશ્ચ ભારત ||૧૫-૨૦||

અનુવાદ

હે નિષ્પાપ અર્જુન, વૈદિક શાસ્ત્રોનો આ પરમ ગુહ્ય સિદ્ધાંત મેં તારી સમક્ષ પ્રગટ કર્યો છે. આ સમજીને કોઈપણ મનુષ્ય પ્રબુદ્ધ થઈ જાય છે તથા પોતાના પ્રયાસોમાં કૃતકૃત્ય થઈ જાય છે.”

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યામ્ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરૂષોત્તમયોગો નામ પંચદશોધ્યાયઃ

માત્ર વાંચવા કરતાં પણ વધુ—
તમારા પોતાના ધ્યાન વીડિયો બનાવો.

પવિત્ર શ્લોકોને વિશ્વ સાથે શેર કરવા માટે સુંદર, સિનેમેટિક વીડિયોમાં ફેરવો. તમારી પૃષ્ઠભૂમિ પસંદ કરો, મંત્રોચ્ચાર ઓડિયો ઉમેરો અને આધુનિક ફોર્મેટમાં ગીતાના પ્રકાશને ફેલાવો.

આ સુવિધાઓ માટે એપ ડાઉનલોડ કરો

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પૃષ્ઠભૂમિ કલાકૃતિ
  • સિંક્રનાઇઝ્ડ સંસ્કૃત અને અર્થ લખાણ
  • મનમોહક મંત્રોચ્ચાર અને સંગીત
Video Generation Preview

ઊંડા નિમજ્જનનો અનુભવ કરો

નિત્ય ગીતાના સંપૂર્ણ સંસ્કરણ સાથે સિનેમેટિક આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા મંત્રોચ્ચાર, અધિકૃત અનુવાદો અને તમારા હાથની હથેળીમાં શાંતિપૂર્ણ ધ્યાન અભયારણ્ય.