પુરુષોત્તમયોગ - શ્લોક શ્લોક 20
શ્લોક 20
ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનઘ |
એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન્સ્યાત્કૃતકૃત્યશ્ચ ભારત ||૧૫-૨૦||
અનુવાદ
હે નિષ્પાપ અર્જુન, વૈદિક શાસ્ત્રોનો આ પરમ ગુહ્ય સિદ્ધાંત મેં તારી સમક્ષ પ્રગટ કર્યો છે. આ સમજીને કોઈપણ મનુષ્ય પ્રબુદ્ધ થઈ જાય છે તથા પોતાના પ્રયાસોમાં કૃતકૃત્ય થઈ જાય છે.”