પુરુષોત્તમયોગ - શ્લોક શ્લોક 3 અને 4
શ્લોક 3 અને 4
ન રૂપમસ્યેહ તથોપલભ્યતે
નાન્તો ન ચાદિર્ન ચ સમ્પ્રતિષ્ઠા |
અશ્વત્થમેનં સુવિરૂઢમૂલં
અસઙ્ગશસ્ત્રેણ દૃઢેન છિત્ત્વા ||૧૫-૩||
તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં
યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ |
તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે |
યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી ||૧૫-૪||
અનુવાદ
આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં થતી નથી, ન તો એનો આદિ છે કે ન તો તેનો અંત છે કે ન તો તેનું નિરંતર અસ્તિત્ત્વ છે. પરંતુ આ સુદૃઢ મૂળો ધરાવતા અશ્વત્થ વૃક્ષને દૃઢ વિરક્તિના સશક્ત શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ. પશ્ચાત્ મનુષ્યે આ વૃક્ષનો આધાર શોધવો જોઈએ જે સ્વયં ભગવાન છે, જેમાંનામાંથી બ્રહ્માંડની ગતિવિધિઓનો અનાદિકાળથી પ્રવાહ વહે છે. તેમનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય આ જગતમાં પાછો ફરતો નથી.