અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 15
અક્ષરબ્રહ્મયોગ
શ્લોક 15
મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમશાશ્વતમ્ |
નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતાઃ ||૮-૧૫||
અનુવાદ
મને પ્રાપ્ત કર્યા પશ્ચાત્ મહાત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે.