અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 14
અક્ષરબ્રહ્મયોગ
શ્લોક 14
અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ |
તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ ||૮-૧૪||
અનુવાદ
હે પાર્થ, જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે, હું તેમને સહજ રીતે સુલભ છું કારણ કે, તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે.