અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 28
શ્લોક 28
વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ
દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ્ |
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા
યોગી પરં સ્થાનમુપૈતિ ચાદ્યમ્ ||૮-૨૮||
અનુવાદ
।।8. 28।।યોગી પુરુષ આ બધું (બંને માર્ગોના તત્ત્વને) જાણીને વેદાધ્યયન, યજ્ઞ, તપ અને દાન કરવામાં જે પુણ્યફળ કહેવામાં આવ્યું છે, તે બધાનું ઉલ્લંઘન કરી જાય છે અને આદ્ય (સનાતન), પરમ સ્થાનને પ્રાપ્ત થાય છે.