કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 26
શ્લોક 26
કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્ |
અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ્ ||૫-૨૬||
અનુવાદ
જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે તેમનાં મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે, તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયા શક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે.