કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 25
શ્લોક 25
લભન્તે બ્રહ્મનિર્વાણમૃષયઃ ક્ષીણકલ્મષાઃ |
છિન્નદ્વૈધા યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ ||૫-૨૫||
અનુવાદ
તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે, જેમના સંશયો નાશ પામ્યા છે, જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે, તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે.