શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 28
શ્લોક 28
અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્તં કૃતં ચ યત્ |
અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ ||૧૭-૨૮||
અનુવાદ
।।૧૭. ૨૮।।હે પાર્થ! જે યજ્ઞ, દાન, તપ અને કર્મ અશ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે, તે 'અસત્' કહેવાય છે; તે આ લોકમાં (ઇહ) પણ નહીં અને મરણ પછી (પરલોકમાં) પણ લાભદાયક હોતું નથી.