ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગયોગ - શ્લોક શ્લોક 6 અને 7
શ્લોક 6 અને 7
મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ |
ઇન્દ્રિયાણિ દશૈકં ચ પઞ્ચ ચેન્દ્રિયગોચરાઃ ||૧૩-૬||
ઇચ્છા દ્વેષઃ સુખં દુઃખં સંઘાતશ્ચેતના ધૃતિઃ |
એતત્ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહૃતમ્ ||૧૩-૭||
અનુવાદ
કર્મ ક્ષેત્ર પાંચ મહાન તત્ત્વો, અહંકાર, બુદ્ધિ, અપ્રગટ આદિ તત્ત્વ, અગિયાર ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, અને મન) તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે.