જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 24
શ્લોક 24
અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ |
પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્ ||૭-૨૪||
અનુવાદ
અલ્પજ્ઞાનીઓ માને છે કે હું, પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી.