કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 22
શ્લોક 22
યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે |
આદ્યન્તવન્તઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ ||૫-૨૨||
અનુવાદ
ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગ, સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખીતી રીતે આનંદપ્રદ હોય છે પણ ખરેખર દુઃખનું ઉદ્ભવસ્થાન છે. હે કુંતીપુત્ર! આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષો તેમાં આનંદ લેતા નથી.