કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 21
શ્લોક 21
બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ્ |
સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે ||૫-૨૧||
અનુવાદ
જે મનુષ્યો બાહ્ય ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી, તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે. યોગ દ્વારા ભગવાન સાથે ઐક્ય હોવાના કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે.