ભક્તિયોગ - શ્લોક શ્લોક 6 અને 7
શ્લોક 6 અને 7
યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ |
અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે ||૧૨-૬||
તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્ |
ભવામિ નચિરાત્પાર્થ મય્યાવેશિતચેતસામ્ ||૧૨-૭||
અનુવાદ
પરંતુ જેઓ તેમના સર્વ કર્મો મને સમર્પિત કરીને, મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે, હે પાર્થ, હું તેમને જન્મ અને મૃત્યુના સમુદ્રમાંથી શીઘ્રતાથી મુક્ત કરું છું કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઈ જાય છે.