રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 19
શ્લોક 19
તપામ્યહમહં વર્ષં નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ |
અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન ||૯-૧૯||
અનુવાદ
જેમની રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે, તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે. યજ્ઞના અવશેષરૂપી સોમરસનું પાન કરીને, પાપમાંથી શુદ્ધિ મેળવી, તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે. તેમના પુણ્યકર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા, ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવાં સુખો ભોગવે છે.