જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 1
શ્લોક 1
શ્રીભગવાનુવાચ |
મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ |
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ ||૭-૧||
અનુવાદ
પૂર્ણ પરમેશ્વર ભગવાને કહ્યું: હે અર્જુન! હવે સાંભળ. મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિઃસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ.